મત્યાસન : મત્સ્ય એટલે માછલી. આ આસનમાં શરીરનો આકાર માછલી જેવો થતો હોવાથી તેને મત્સ્યાસન કહેવામાં આવે છે. વળી આ આસન કરનાર વ્યક્તિ પ્લાવિની પ્રાણાયામની મદદથી પાણીમાં લાંબો સમય સુધી તરી શકે છે તેથી પણ એને મત્સ્યાસન કહેવામાં આવે છે.
મૂળ સ્થિતિ : મૂલાયમ આસન પાથરી પદ્માસનની સ્થિતિમાં બેસવું.
પદ્ધતિ :
- સૌ પ્રથમ પદ્માસનની સ્થિતિમાં બેસો.
- પીઠ પર હાથની કોણીનો ટેકો લઈને ચત્તા સૂઈ જાઓ.
- બન્ને હાથની હથેળી કાન પાસે ગોઠવો.
- હાથની હઠેળીના ટેકા વડે પીઠ અને છાતીને જમીનથી ઉપર ઉઠાવો.
- આ સ્થિતિમાં માથું પીઠ તરફ આવશે.
- હવે ડાબા હાથથી જમણા પગનો અંગૂઠો પકડો અને જમણા હાથથી ડાબા પગનો અંગૂઠો પકડો. આ સમયે કોણીઓ જમીનને અડેલી રાખો.
- શ્વાસોચ્છવાસ સામાન્ય રાખો.
- લગભગ અડધા થી એક મિનીટ સુધી આ સ્થિતિમાં રહ્યા પછી ધીમેથી ઉલટા ક્રમમાં આસન છોડી મૂળ સ્થિતિમાં આવો.
- આસનમાંથી પાછા ફરતી વખતે બન્ને હાથ ફરી કાન તરફ ગોઠવી ધીમેથી ગરદન સીધી કરવી.
- શરીર ઢીલું કરી બન્ને પગને વારાફરતી પદ્માસનમાંથી છોડી સીધા કરવા.
ધ્યાનમાં રાખવાની બાબતો :
- હથેળીના કે કોણીના ટેકા વગર ગરદન ન વાળવી.
- આસનમાંથી પાછા ફરતી વખતે હાથનો ટેકો લેવો.
- શ્વાસોચ્છવાસ સામાન્ય રાખવા અને કોઈ ઉતાવળ કરવી નહિ.
- કરોડની તકલીફવાળા વ્યક્તિઓએ નિષ્ણાતની સલાહ મુજબ આ આસન કરવું.
- છાતી અને ગળામાં વધુ દુ:ખાવો કે બીજા કોઈ રોગ હોવાની સ્થિતિમા આ આસન કરવું યોગ્ય નથી.
- આ આસન ખૂબ જ સાવચેતી પૂર્વક કરવું કેમકે આ આસનમાં ગરદન મરડાઈ જવાની બીક રહે છે.
ફાયદા :
- આ આસનની શરૂઆત પદ્માસનથી થતી હોવાથી તેના પણ ફાયદા આ આસન કરનારને મળે છે.
- છાતીની આસપાસ જમા થતી બિનજરૂરી ચરબી અટકે છે.
- ફેફસામાં ઑક્સિજન વધું પહોંચે છે.
- શુદ્ધ લોહીનું પરિભ્રમણ વધે છે.
- પાંસળીઓ મજબૂત બને છે.
- ખભાના સ્નાયુઓ ઉલટી દિશામાં ખેંચાતા હોવાથી ગરદન અને ખભાના સ્નાયુઓનું અક્કડપણું દૂર થઈ માલીસ જેવો લાભ થાય છે.
- ચેતાતંત્ર માટે ખૂબ જ લાભદાયક આસન છે.
- કરોડરજ્જુ સ્થિતિસ્થાપક બને છે.
- મગજના કોષો ઉત્તિજિત થાય છે.
- આ આસનથી બુદ્ધિનો વિકાસ થાય છે.
- કમરના દુઃખાવામાં આ આસનથી રાહત મળે છે.
- દમના રોગીઓ માટે આ આસન ખૂબ જ ઉપયોગી છે.
- પેટ માટે આ આસન ખૂબ જ લાભકારક છે.
- આ આસનથી આંતરડાં વધુ સક્રીય થાય છે અને કબજીયાત મટે છે.
- ગળામાંની ગ્રંથીઓ મજબુત થાય છે.
- ફેફસાં અને કાકડા જેવા ગળાના રોગોમાં ફાયદો થાય છે.
- મળ શુદ્ધિ માટે આ આસન ખૂબ જ ઉપયોગી છે.
- આ આસનથી પાચનતંત્ર કાર્યક્ષમ બનવાથી જઠરાગ્નિ પ્રદીપ્ત બને છે. ભૂખ લાગે છે.
- સ્ત્રીઓનાં માસિકનું દર્દ તથા માસિકની અનિયમિતતા આ આસનથી દૂર થાય છે.
मत्स्यासन करने की विधि-
- सर्वप्रथम पद्मासन की स्थिति में आएँगे ।
- अब धीरे से कोहनियों की सहायता लेते हुए पीछे पीठ के बल लेट जाएँगे ।
- हाथो की हथेलियों को कानो के पास ज़मीन पर रखते हुए ,गर्दन को पीछे मोरकर सिर को ज़मीन पर टिकाएँगे ,अब हाथों को वापिस लाकर दाएँ हाथ से बायें पैर का अंगूठा और बायें हाथ से दाएँ पैर का अंगूठा थाम लीजिए।
कुछ देर इसी स्थिति में रहिए 5-10 सेकेंड ।
अब धीरे से कोहनियों की सहायता से वापिस आयेंगे और पैरो को खोलते हुए ढीला कर देंगे।
मत्स्यासन करने की साबधानियाँ-
- गर्दन में मोच आ सकती है । घुटना दर्द में नही करना चाहिए। योग शिक्षक की देख रेख में ही करें ।
मत्स्यासन करने की लाभ-
- सीने की मासपेशियों में रक्त संचार तेज करता है।
- मेरुदण्ड को मजबूत व लचीला बनाता है ।
- आँखों के लिए बहुत लाभप्रद है।
- थायरॉइड ग्रंथि में बहुत लाभकारी है।
Aasan
- મત્સ્યાસન
મત્સ્ય એટલે મીન કે માછલી. આ આસનમાં શરીરનો આકાર કંઈક અંશે માછલી જેવો થાય છે. વળી આ આસન કરનાર વ્યક્તિ પ્લાવિની પ્રાણાયામની મદદથી પાણીમાં લાંબો સમય સુધી તરી શકે છે તેથી પણ એને મત્સ્યાસન કહેવામાં આવે છે.
આસનની રીત• થોડુંક મુલાયમ આસન પાથરી તેની ઉપર બેસી સૌ પ્રથમ પદ્માસન કરો. એમ કરવાથી જમણો પગ ડાબા સાથળ પર અને ડાબો પગ જમણા સાથળ પર આવશે.
• હવે પદ્માસન કરી ચત્તા સૂઈ જાવ. બંને હાથના પંજાઓને શરીરની સમાંતર જમીન પર ટેકવો. હાથના પંજાઓના આધારે બરડાને કમરમાંથી કમાનની માફક વાળો કે જેથી માથાનો ટોચનો (vertex) ભાગ જમીનને અડે.
• આ સ્થિતિમાં માથાનો ટોચનો ભાગ જમીન પર હશે. અને શરીરનો કમરથી નીચેનો ભાગ પદ્માસનની સ્થિતિમાં જમીનને અડેલો હશે. કમર અને ખભા વચ્ચેનો ભાગ કમાન આકારે વળેલો હશે.
• હવે ડાબા હાથથી જમણા પગનો અંગૂઠો પકડો અને જમણા હાથથી ડાબા હાથનો અંગૂઠો પકડો. આ સમયે કોણીઓ જમીનને અડકાડેલી રાખો.
• લગભગ અડધા થી એક મિનીટ સુધી આ સ્થિતિમાં રહ્યા પછી ધીમેથી ઉલટા ક્રમમાં આસન છોડી મૂળ સ્થિતિમાં આવો.
• અભ્યાસ પછી ત્રણેક મિનીટ આ આસનમાં રહો. અને પછી આસનનો સમય વધારવા કરતાં એવા ત્રણ આવર્તન કરો.આસનના ફાયદા
• આ આસનથી સર્વાંગાસન દરમ્યાન જેને કસરત નથી મળતી એવા ખભાથી ઉપરના શરીરના પ્રદેશોને કસરત મળે છે. એથી આ આસનને સર્વાંગાસનનું પૂરક આસન પણ કહેવાય છે.
• સર્વાંગાસનમાં ગરદનના ભાગમાં આવેલ કરોડરજ્જુ આગળ નમે છે. જ્યારે મત્સ્યાસનમાં એ પાછળ ખેંચાય છે. ખભાના સ્નાયુઓ ઉલટી દિશામાં ખેંચાતા હોવાથી ગરદન અને ખભાના સ્નાયુઓનું અક્કડપણું દૂર થઈ માલીસ જેવો લાભ થાય છે. કરોડરજ્જુના એ ભાગમાંથી નીકળતા જ્ઞાનતંતુઓ ચેતનવંતા બને છે અનેકરોડરજ્જુ સ્થિતિસ્થાપક બને છે.
• માથાનો શિખાવાળો ભાગ જમીનને અડે છે ત્યારે ગુરુત્વાકર્ષણથી ગરદન, મુખ અને માથામાંથી લોહી ઉપર ધકેલાય છે. એમ થતાં મસ્તકના ભાગમાં લોહીનો સંચાર થાય છે. જેથી મસ્તકમાં આવેલ પીટ્યુટરી અને પીનીઅલ ગ્રંથિઓને પોષણ મળે છે. એથી બુદ્ધિનો વિકાસ થાય છે.
• ખભાના સ્નાયુઓ ઉલટી રીતે ખેંચાવાથી છાતી અને ફેફસાં વિકસે છે. પ્રાણવાયુ વધુ પ્રમાણમાં અંદર જાય છે. શુદ્ધ લોહીનું પરિભ્રમણ વધે છે. ફેફસાં અને કાકડા જેવા ગળાના રોગોમાં ફાયદો થાય છે.
• પગ પદ્માસનમાં વળેલા હોવાથી પદ્માસનના લાભ ઉપરાંત નીચેના પેટ પાસેના સ્નાયુઓ ખેંચાવાથી આંતરડાને કસરત મળે છે. આંતરડામાં ભેગો થયેલ મળ નીચે ધકેલાય છે. એથી મળ શુદ્ધિ માટે આ આસન ઉપયોગી છે. આ આસન પછી ઉડ્ડિયાન બંધ અને નૌલિ ક્રિયા કરવાથી મળની સંપૂર્ણ શુદ્ધિ થાય છે.
• પાચનતંત્ર કાર્યક્ષમ બનવાથી જઠરાગ્નિ પ્રદીપ્ત બને છે. ભૂખ લાગે છે.
• આ આસનથી દમ, ક્ષય, ક્રોનિક બ્રોનકાઈટીસ જેવા રોગોમાં અસાધારણ રાહત મળે છે. સખત સળેખમ પણ કાલાંતરે આ આસનથી મટે છે.
• સ્ત્રીઓનાં માસિક દર્દો તથા માસિકની અનિયમિતતા આ આસનથી દૂર થાય છે.
- Log in to post comments
- 288 views