ડાયાબિટીસને યોગાભ્યાસ વડે મટાડી શકાય છે

ડાયાબિટીસ આજના સમયમાં એક ખૂબ જ સામાન્ય બિમારી બની ગઈ છે. લગભગ બધા જ ઘરોમાં આ બિમારી જોવા મળે છે.
ડાયાબિટીસ શરીરમાં ચયાપચયના અસંતુલનના લીધે થાય છે. પેન્ક્રિયાઝની બિટા કોષિકામાંથી ઈન્સ્યુલીનનો વધારે સ્રાવ કે શક્તિહીન સ્રાવ થવાથી ગ્લુકોઝ વધી જવાથી એ રક્ત / લોહીમાં ભળી જાય છે. શરીરની કોષિકાઓને ગ્લુકોઝ ઇન્સ્યુલીનની હજારીમાં જ મળી શકે છે. ઈન્સ્યુલીનની ગેરહાજરીથી કોષિકાઓ ચરબીનું શોષણ કરવાનું શરૂ કરે છે. એટલે જ હાઈ બ્લડપ્રેશર થાય છે. ડાયાબિટીસ પણ એક વારસાગત અને મનોદૈહીક રોગ છે. વારસાગત ડાયાબિટીસને નિયંત્રણમાં રાખી શકાય છે અને મનોદૈહિક ડાયાબિટીસને યોગા અભ્યાસથી મટાડી શકાય છે.
 

યોગ શું છે ?

યોગ શબ્દના બે અર્થ થાય છે અને બંને મહત્વપૂર્ણ છે. પહેલો છે - જોડ અને બીજો છે સમાધિ. જ્યા સુધી આપણે પોતાની સાથે નથી જોડાતા, ત્યાં સુધી સમાધિ સુધી પહોંચવું મુશ્કેલ છે. યોગ દર્શન કે ધર્મ નથી, ગણિતથી થોડું વધુ છે. બે માં બે ઉમેરો ચાર જ આવશે. પછી ભલે તમે વિશ્વાસ કરો કે ન કરો, ફક્ત કરીને જોઈ લો. આગમાં હાથ નાખવાથી હાથ બળશે જ, આ કોઈ વિશ્વાસ કરવાની વાત નથી.

યોગ થી મોક્ષ સુધી

યોગ ના હેતુ વિવિધ પ્રકારના હોય છે. લોકો સ્વાસ્થ્ય સુધારવાથી લઈને મોક્ષ પ્રાપ્ત કરવા માટે યોગ સાધના કરતાં હોય છે. એવું કહેવામાં આવે છે કે યોગનો હેતુ મોક્ષ પ્રાપ્તિનો છે જે લૌકિક આધિ, વ્યાધિ અને ઉપાધિઓમાંથી, (સંસાર)ના ચક્ર જન્મ અને મૃત્યુ માંથી મુક્તિ આપે છે..
યોગ શબ્દના બે અર્થ થાય છે જે મહત્વપૂર્ણ છે. પહેલો અર્થ છે કે જોડ અને બીજો અર્થ છે સમાધિ. જ્યા સુધી આપણે પોતે પોતાની સાથે નથી જોડાતા, ત્યાં સુધી સમાધિ સુધી પહોંચી શકાતું નથી. યોગ નાં તો દર્શન છે કે નથી ધર્મ, પરંતુ ગણિતથી થોડું વધુ છે. જેમ કે બે માં બે ઉમેરો તો ચાર જ આવે. તમે વિશ્વાસ કરો કે ન કરો, અજમાવી ને જોઈ લો.

યોગથી અસાધ્ય અસ્થમા-દમને ઠેકાણે કરવો છે

દમ એક અસાધ્ય રોગ છે જે ફેફસાંની નળીઓમાં સંકોચનના કારણે થાય છે. દમ અનેક કારણોને લીધે થઈ શકે છે. જેમાંથી ઘણાં કારણો માનસિક, વારસાગત કે પછી એલર્જીના લીધે પણ હોય છે. આ એક માનસિક રોગ છે. મનમાં ડર, ભય, ગભરાટ, ઇર્ષા, ક્રોધ, ધૃણા, વિયોગ, કોઈ વ્યક્તિનું મૃત્યુ થવાથી વગેરે કારણોથી ઉત્પન્ન થાય છે.
આ રોગ એલર્જી ઉત્પન્ન કરતાં પદાર્થોથી પણ થઈ શકે છે. જેમ કે, ધૂળ, પ્રદૂષણ, તેલનો વઘાર, સુગંધ કે વાસ વગેરેથી થઈ શકે છે. યોગના માધ્યમથી દમની બિમારીનો સંપૂર્ણ ઉપાય કે ઈલાજ શક્ય છે.
 

યોગ સાયકોલોજી

દુનિયામાં બધે વ્યક્તિગત, રાજકીય અને પર્યાવરણીય ટર્મોઇલ ચાલી રહ્યું છે, કેટલાય લોકો પોતાના આધ્યાત્મિક મૂળ ખોઈ બેઠાં છે અને આપણાં મન વેગથી થતા ફેરફારો સાથે સંકળાઈ શકતાં નથી. આપણી સંવેદનાઓ પણ માનસિક છાપ, લાગણીઓનો ઢગલો, અકુદરતી આહાર અને પીણા વગેરેના કારણે ખરડાઈ ગઈ છે. આપણે આપણા શરીરમાં ચરબી, મીઠું, ખાંડ અને અન્ય અશુદ્ધિઓ ઠાલવતા જઈ રહ્યા છીએ.

દરેક જણ આ પ્રશ્નો ઉકેલવા ઇચ્છે છે, એટલે યોગનું પ્રાચીન વિજ્ઞાન પવનવેગે વિશ્વમાં પ્રસરી રહ્યું છે. .

આસન: હેતુ અને લાભ

આસનઃ કોઈ પણ એવી મુદ્રા જેમાં તમે આરામથી બેસી શકો, તે આસન કહેવાય.

આસનમાં બે એટિટ્યૂડ હોય છેઃ

  1. ફિઝિકલ-શારીરિક-એટિટ્યૂડ
  2. મેન્ટલ-માનસિક –એટિટ્યૂડ

ફિઝિકલ એટિટ્યૂડઃ વિવિધ સ્પેસીઝ જેમ કે પ્રાણીઓ, વૃક્ષો, પક્ષીઓના અંશ-સબસ્ટ્રેટ ધરાવતા આસનોને ફિઝિકલ એટિટ્યૂડ કહે છે જેમ કે પદ્માસન-લોટસ પોશ્ચર.

મેન્ટલ એટિટ્યૂડઃ એ માનસિક સ્થિતિને  અનુલક્ષીને છે. જેમ કે જો તમે પદ્માસન કરો છો તો એ આપણને જગતમાં કમળની માફક જીવવાનું જણાવે છે.

 

કપોતાસન

કપોત એટલે કબૂતર અથવા હોલો. કપોતાસન એ જાણે કોઈ કબૂતર પોતાની છાતી ફુલાવતું હોય એવું, અનાહત ચક્રને ખોલનારું અદ્ભુત આસન છે.

આકર્ણ ધનુરાસન

આકર્ણ ધનુરાસનને આર્ચર્સ પોઝ પણ કહે છે, ધનુષ્ય-બાણ પોઝ કહે છે. આ એવું આસન છે જે એક ધનુર્ધારી બાણ છોડવાની તૈયારીમાં છે તે મુદ્રા દર્શાવે છે. કર્ણ એટલે કાન. ‘આ’ એ પ્રીફિક્સ છે જેનો અર્થ છે એની નજીક.

અર્ધહલાસન અને કર્ણપીડાસન

રીત:

  • શવાસનમાં સૂઈ જાવ.
  • સર્વાંગાસન કરો અને તેમાં પગ તમારા માથા પાછળ લેતાં હલાસન કરો.
  • હલાસનમાં શ્વાસ નોર્મલ અને નેચરલ રીતે લો. થોડાક શ્વાસ લેવા સુધી હલાસનમાં રહો અને એક વાર કમ્ફર્ટેબલ લાગે, એટલે એક પગ ઢીંચણમાંથી વાળીને કાનને સ્પર્શ કરાવો.
Subscribe to યોગ