સૂત્રનેતિ

સૂત્રનેતિ (દોરા વડે નેઝલ ક્લિન્સિંગ ) એ નાક સાફ કરવાની એક એડવાન્સ્ડ પ્રક્રિયા છે. એ જલનેતિની જેમ જ કામ કરે છે, જે નાકના પેસેજમાંથી બ્લોકેજ સાફ કરી દૂર કરે છે. આ રીતે હવાનો પ્રવાહ મુક્ત રીતે બંને નસકોરાંમાંથી વહી શકે છે.

જલનેતિમાં નાક સાફ કરવા મીઠાનું પાણી વપરાય છે તો સૂત્રનેતિમાં એક કેથેટર (એક લાંબી પાતળી રબર ટ્યૂબ) અથવા કોટનના દોરાના બેવડા સ્ટ્રાન્ડ્સ નસકોરાંમાંથી પસાર થાય છે.

 

શાસ્ત્રીય સંદર્ભઃ

સૂત્રનેતિ કફ (ફ્રંટલ બ્રેન) સાફ કરે છે અને નાકમાંથી અશુદ્ધિઓ દૂર કરે છે. તેનાથી આંખની દૃષ્ટિનો પાવર વધે છે અને આંખો તેજસ્વી બને છે.

 

જાલંધર બંધ

જાલંધર બંધ : સંસ્કૃતમાં જાલનો અર્થ ગુંચળું કે જાળું એવો થાય છે અને ધરનો અર્થ ધારણ કરવું કે ટેકો આપવો એવો થાય છે. જાલંધર બંધ નાડીઓના સમુહ કે ગુંચળાને ઉર્ધ્વ કરવામાં કે ઉપર ઉઠાવવામાં સહાય કરે છે. 

આપણે આગળના લેખમાં જોયું કે ઉડ્ડિયાન બંધ દ્વારા નાડીસમુહોને અંદરની તરફ અને ઉર્ધ્વ દિશામાં ખેંચવામાં આવે છે. જાલંધર બંધ એ પ્રયત્નોને ઉપરના ભાગથી એટલે કે કંઠ કે ગળાના ભાગથી ટેકો આપે છે. અંગ્રેજીમાં એથી જ જાલંધર બંધને throat lock તરીકે ઓળખવામાં આવે છે. 

ઉડ્ડિયાન બંધ

ઉડ્ડિયાન બંધ : ઉડ્ડિયાન શબ્દનો અર્થ ઉડવું કે ઉર્ધ્વ ગમન એવો થાય છે. બંધની આ પ્રક્રિયામાં પેઢાંના સ્નાયુઓ (abdominal organs) એકસાથે અંદરની તરફ અને ઉપરની દિશામાં ખેંચવામાં આવે છે. એથી આ બંધને ઉડ્ડિયાન બંધ તરીકે ઓળખવામાં આવે છે. 

ખાસ નોંધ

ઉડ્ડિયાન બંધ પેટ સાફ થયા પછી એટલે કે ખાલી પેટે કરવો જરૂરી છે. 

Subscribe to